BYA News

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના કુલપતિ કિશોર ચાવડા ભ્રષ્ટાચાર ની દીવાલ દુર કરવા માટે શેની રાહ જોઈ રહ્યાં છે..?

કુલપતિ ને અનેક અરજદારો દ્વારા અનેક રજુઆતો કરેલ હોવા છતાં સદર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના કુલપતિ એવા ભ્રષ્ટાચારમાં ભેળવાયા છે કે તેઓ અરજદારો ની અરજીઓ અન્વયે કોઈ જવાબ કે કાર્યવાહી કરી શકતા નથી.

પ્રતિનિધિ :ભારત યુવા અભિયાન

સુરત ની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી એક ધક્કામાં પડી જાય એવી દિવાલ માટે 39 લાખ રૂપિયાનું પેમેન્ટ કરી દેવાયું, હવે દિવાલને નવેસરથી બનાવવા આશરે 2020-21માં કમ્પાઉન્ડ વોલ માટે એક કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ યોગેશ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો હતો પણ જે દિવાલ બનાવવામાં આવી તેમાં પિલર કે સળિયા નથી તો આ દિવાલ માટે 39 લાખનું પેમેન્ટ કરી દેવાયું, તપાસ સમિતિને દીવાલના બાંધકા ને નબળું ગણાવતા દોષીઓ સામે કડક કાર્યવાહીની ભલામણ કરી હતી પણ ત્રણ વર્ષ પછી પણ દોષીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે આજદિન સુધી દીવાલ દુર થયેલ નથી, સિન્ડીકેટ તપાસ રીપોર્ટના આધારે દોષીઓ સામે પગલાં ભરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો, જો કે કોન્ટ્રાકટર પાસેથી રિકવરી અને પોલીસ ફરીયાદ અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી, સજા ઓછી છે કે વધુ એ સિન્ડીકેટ જ નક્કી કર્યું,

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના કુલપતિ કિશોર ચાવડા ભ્રષ્ટાચાર ની દીવાલ દુર કરવા માટે શેની રાહ જોઈ રહ્યાં છે..

આ મુદ્દે સિન્ડીકેટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, દરેક દોષીઓને સજા સંભળાવી દેવામાં આવી છે, સજા ઓછી છે કે વધુ એ સિન્ડીકેટ જ નક્કી કર્યું છે, આ સીવાય કંપનીને પણ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે, છતાં આ ભ્રષ્ટાચાર ની દીવાલ ને આજદિન સુધી છાવરનાર જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ જ ઠોસ કાર્યવાહી થયેલ નથી, તેમ સદર દીવાલ એક ધક્કામાં ધરાશાયી થાય તેવું હલકી ગુણવત્તા નુ મટીરીયલ વાપરેલ છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે તેમ હોવા છતાં સદર કુલપતિ શ્રી કિશોર ચાવડા ના પેટ નુ પાણી પણ હલતું નથી,

કોણ કોના પગ ખેંચશે..? કુલપતિ નુ મૌન અને કોન્ટ્રાકટરને જલસા..!! ભ્રષ્ટાચાર ની દીવાલમાં જવાબદાર કોણ..?

તેમ સદર કુલપતિ ને અનેક અરજદારો દ્વારા અનેક રજુઆતો કરેલ હોવા છતાં સદર કુલપતિ એવા ભ્રષ્ટાચારમાં ભેળવાયા છે કે તેઓ અરજદારો ની અરજીઓ અન્વયે કોઈ જવાબ કે કાર્યવાહી કરી શકતા નથી, જેથી હવે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે..

 

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

 

Exit mobile version