Saturday, September 14, 2024
India

ભારત પર સંકટના વાદળ, યુએનની ચેતવણી, ઇસ્લામિક સ્ટેટ દ્વારા ઘડાઈ રહેલ છે વિનાશક પ્લાન.

ભારત પર સંકટના વાદળ : સંયુક્ત રાષ્ટ્ર યુએનના એક અહેવાલ મુજબ આતંકવાદી સમૂહ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ લેવલ્ટ ખોટાસાને ભારતમાં વ્યાપક હુમલાઓ કરવામાં અસફળ રહેતા ભારતમાં જ રહેલા તેના અનુયાયીઓએ એવા યુવાનોને આતંકવાદી તાલીમ આપવાનું નિર્ણય કર્યો છે કે તેઓ એકલે હાથે પણ જુદા જુદા સ્થળોએ આતંકવાદી હુમલાઓ કરી શકે છે.

આઇએસઆઇએલ-કે અલ કાયદા અને તેની સાથે સંકળાયેલા વ્યક્તિઓ કે સંસ્થાઓ અંગે સંયુક્ત રાષ્ટ્ર એક વિશ્લેષણાત્મક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ 34 મો અહેવાલ મંગળવારે રજૂ કરાયો હતો અને તેમાં જણાવ્યા અનુસાર યુવાનના સભ્ય દેશોએ ચિંતા દર્શાવી છે કે મૂળભૂત રીતે અફઘાનિસ્તાનમાંથી ઉત્પન્ન થયેલો આતંકવાદ તે વિસ્તારમાં અસલામતીનું કારણ બન્યું છે. આગળ ઉમેરતા તેમણે જણાવ્યું હતું કે ભારતમાં સામૂહિક રીતે વિનાશ કરવામાં અને આતંકવાદને ફેલાવવામાં નિષ્ફળ જતા હવે આતંકવાદીઓ એવા યુવાનોની ભરતી કરે છે કે જેઓ એકલે હાથે આતંકવાદ ફેલાવીને વિનાશ કરી શકે.

યુએનએ ચેતવણી આપી છે કે  ઇસ્લામિક સ્ટેટ દ્વારા ઘડાઈ રહેલ છે વિનાશક પ્લાન, ભારત પર સંકટના વાદળ

આ આતંકવાદી સંગઠને ઉર્દુમાં એક પુસ્તિકા બહાર પાડી છે જેમાં હિન્દુ મુસ્લિમ દ્વેષ વધે તેવી બાબતો લખવામાં આવી છે. તેમજ ભારતને સંબંધી તેઓની આગળની કાર્યવાહીને દર્શાવવામાં આવી છે.

આ અંગે યુએનના રિપોર્ટ અનુસાર આઈ એસ આઈ એલ- કે આ ક્ષેત્રમાં ગંભીર ખતરો બની રહે તેમ છે. જેનું મૂળ અફઘાનિસ્તાનમાં છે. તહેરીક અને તાલીબાન એ પાકિસ્તાન અને અલ કાયદા તથા એક્યુઆઇટીએસ વચ્ચે સમર્થન અને સહયોગ વધ્યા છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓને તાલીમ આપવા માટેની શિબિરો પણ ચાલે છે તેઓ તહરી કે જીહાદ એ પાકિસ્તાનના નામે વધુ ઘાતક હુમલા કરી રહ્યા છે.

અહેવાલમાં વધુ જણાવ્યા અનુસાર પાકિસ્તાન સ્થિત આ આતંકવાદી સંગઠન તહેરીકે તાલીબાન પાકિસ્તાન અને અન્ય આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે. તેમાં પણ ટીટીપી અને ઓક્યુ આઈએસ નું સંભવિત જોડાણ પાકિસ્તાન ખુદને માટે પણ જોખમકારક બની શકે છે. મુખ્ય: તો ભારત ભારત બાંગ્લાદેશ અને મ્યાનમાર માટે ભારે મોટો ખતરો બની શકે તેમ છે.

યુએનના સભ્યો દેશો પૈકી કેટલાકનું અનુમાન છે કે આઈએસઆઈ એલ કે આતંકીઓની સંખ્યા જે લગભગ 4000 જેટલી હતી તે હાલ વધીને 6,000 જેટલી થઈ ચૂકી છે.

 

BYA News SURAT

તમે પાડેલા ફોટોગ્રાફ/વિડિયો તમારા વિસ્તારની સમસ્યાઓ ગટર,પાણીની સમસ્યાઓ, સામાજિક-ધાર્મિક કાર્યક્રમો, ખેતીવાડી અને પશુપાલનને લગતી સમસ્યાઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા ના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય, પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન માં ફરિયાદ ન લેતા હોય કે ટ્રાફિક પોલીસ તમારી સાથે ગેરવર્તન કરતી હોય તો તેની વિગતો, WhatsApp નં.96011 51675 પર મોકલી આપો, જેથી અમે તેને સારી રીતે પ્રકાશિત કરી શકીએ

BYA News ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ જોડાવો અને ગુજરાત ભરના સમાચાર તેમજ આપના વિસ્તારની સમસ્યા કે પ્રેસનોટ મોકલો

• WHATSAPP group link : https://chat.whatsapp.com/IJx1Fzzqmdc6brKsftw4Bw

• Instagram
https://www.instagram.com/b.y.a.news?igsh=MXJiazQ4ZDRrZ3pjbw==

• Facebook
https://www.facebook.com/bharatyuvaabhiyansurat?mibextid=ZbWKwL

• YouTube channel
https://www.youtube.com/@BHARATYUVAABHIYAN2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *